છો વેદ વાંચનારાને માનહાનિ લાગે ,
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે.
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે,
આનંદ ઉચ્ચ લાગે પીડા ગજાની લાગે.
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે,
ખોટું છે , એ સમજતાં એક જિંદગાની લાગે.
પોણા છ ફૂટની કાયા નહિતર તો નાની લાગે,
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે.
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોચું,
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે.
ડૉ. રઈશ મનીયાર
સૌજન્ય : vishwadeep dot wordpress dot com
Tags: રઈશ મનીયાર
Recent Comments :-